ન્યાયાલય ત્હોમતનામામાં ફેરફાર કરી શકશે - કલમ : 239

ન્યાયાલય ત્હોમતનામામાં ફેરફાર કરી શકશે

(૧) કોઇપણ ન્યાયાલય ફેંસલો સંભળાવતા પહેલાં કોઇપણ સમયે ત્હોમતનામામાં સુધારો કે વધારો કરી શકશે.

(૨) આવો દરેક સુધારો કે વધારો આરોપીને વાંચી સંભળાવીને સમજાવવો જોઇશે.

(૩) ત્હોમતનામામાં કરેલો સુધારો કે વધારો એવો હોય કે ઇન્સાફી કાયૅવાહી તરત કરવાથી આરોપીને તેનો બચાવ કરવામાં અથવા ફરિયાદ પક્ષને કે કેસ ચલાવવામાં પ્રતિકૂળ અસર થવાનો સંભવ નથી એવો ન્યાયાલયનો અભિપ્રાય થાય તો ન્યાયાલય પોતાની વિવેકબુધ્ધિ અનુસાર એવો સુધારો વધારો કર્યો પછી સુધારેલું કે વધારેલું હોમતનામું મૂળ ત્હોમતનામું હોય એ રીતે ઇન્સાફી કાયૅવાહી આગળ ચલાવી શકશે.

(૪) સદરહુ સુધારો કે વધારો એવો હોય કે ઇન્સાફી કાયૅવાહી તરત કરવાથી ન્યાયાલયના અભિપ્રાય મુજબ આરોપીને કે ફરિયાદ પક્ષને ઉપર જણાવ્યા પ્રમાણે પ્રતિકૂળ અસર થવાનો સંભવ છે તો નવેસરથી ઇન્સાફી કાયૅવાહી કરવાનો અથવા જરૂર હોય તેટલી મુદત સુધી ઇન્સાફી કાયૅવાહી મુલતવી રાખવાનો ન્યાયાલય આદેશ આપી શકશે.

(૫) સુધારો કે વધારો કરેલ ત્હોમતનામામાં દશૅ વેિલા ગુના અંગે ફોજદારી કામ ચલાવવા માટે અગાઉથી મંજૂરી લેવી જરૂરી હોય તો સુધારેલ કે વધારેલ ત્હોમત જેના ઉપર આધાર રાખતું હોય તે જ હકીકતો ઉપરથી ફોજદારી કામ ચલાવવા માટે અગાઉ મંજૂરી મેળવી લેવામાં આવી ચુકેલ હોય તે સિવાય તેવી મંજૂરી મેળવવામાં ન આવે ત્યાં સુધી કેસની કાયૅવાહી કરી શકાશે નહી.